fbpx
Thursday, June 1, 2023

આ સમયે ચહેરા પર લગાવો દેસી ઘી, ડ્રાય સ્કિનથી લઇને આ સમસ્યાઓ દૂર થઇ જશે

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દેસી ઘી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દેસી ઘી સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ છૂટકારો અપાવવાનું કામ કરે છે. આમ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દેસી ઘીનો ઉપયોગ શિયાળામાં તમે સ્કિન માટે કરો છો તો સૌથી બેસ્ટ છે. ઠંડીમાં ખાસ કરીને સ્કિન ડ્રાય વધારે થઇ જાય છે જેના કારણે ખંજવાળ, રેસિશ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. આ સાથે જ ડિહાઇડ્રેશનને કારણે સ્કિન ડલ પડી જાય છે અને કરચલીઓ પડવા લાગે છે. એવામાં તમે આ બધી જ સમસ્યામાંથી રાહત મેળવવા ઇચ્છો છો તો દેસી ઘી એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો કેવી રીતે દેસી ઘીનો ઉપયોગ કરશો.

રાત્રે ચહેરા પર દેસી ઘી લગાવવાના ફાયદા

કરચલીઓ નહીં પડે

દેસી ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. તમારા ફેસ પર બહુ કરચલીઓ પડી છે તો તમે રોજ રાત્રે દેસી ઘી ચહેરા પર લગાવો. દેસી ઘી સ્કિનના પોર્સ ભરે છે જે કોલેઝન બુસ્ટ કરે છે જેના કારણે ફેસ પર કરચલીઓ પડતી નથી.

ડ્રાય સ્કિન માટે બેસ્ટ

ડ્રાય સ્કિનની સમસ્યામાંને દૂર કરવા માટે દેસી ઘી સૌથી બેસ્ટ છે. દેસી ઘી તમે રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો છો તો ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળે છે. ઘીમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે ત્વચાની નમીને લોક કરી દે છે અને સ્કિનને મસ્ત બનાવે છે.

ફાટેલા હોઠને કોમળ બનાવે

તમે રોજ રાત્રે દેસી ઘી ફાટેલા હોઠ પર લગાવો છો તો સ્કિન કોમળ થાય છે અને સાથે હોઠ પણ મસ્ત થઇ જાય છે. ફાટેલા હોઠની સ્કિનને કોમળ બનાવવા માટે દેસી ઘી સૌથી બેસ્ટ છે. આ ઘી તમારે રોજ રાત્રે ઊંઘતા પહેલા લગાવવાનું રહેશે.

બ્લડ સર્કુલેશન સારું રહે

દેસી ઘીથી તમે રોજ રાત્રે ચહેરા પર મસાજ કરો છો તો બ્લડ સર્કુલેશન સારું થાય છે. આ સાથે જ ચહેરો પણ ખીલી ઉઠે છે. દેસી ઘી તમારા બોડીમાં એનર્જી લાવવાનું કામ પણ કરે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

Related Articles

નવીનતમ