Homeજાણવા જેવુંFamous Places To Visit...

Famous Places To Visit In Rajasthan: ફેમિલી ટ્રીપ માટે બેસ્ટ છે રાજસ્થાન, બાળકોની સાથે તમને પણ પડી જશે મજા

જ્યારે પણ તમે બાળકોની સાથે ક્યાંક બહાર ફરવા જવાનું વિચારો છો તો તેના માટે યોગ્ય પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. બાળકોની સાથે બહાર જવું એટલું સરળ હોતું નથી. તમારે એવી જગ્યાને પસંદ કરવી પડે છે, જ્યાં બાળકો ભરપૂર આનંદ માણી શકે. જો તમે બાળકોની સાથે ફરવા માંગો છો તો તમારા માટે રાજસ્થાન જવું ચોક્કસપણે એક સારો આઈડિયા હશે.

રાજસ્થાન એક એવું રાજ્ય છે, જેમાં દરેક વયના લોકો પોત-પોતાની રીતે આનંદ માણી શકે છે. અહીં તમે બાળકો સાથે કેટલીક શ્રેષ્ઠ એક્ટિવિટીઝનો આનંદ માણી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક એક્ટિવિટીઝ વિશે જણાવી રહ્યા છીએ.

રણથંભોર નેશનલ પાર્કમાં ટાઈગર સફારી
જો તમે બાળકોની સાથે રાજસ્થાન જઈ રહ્યા છો અને તેમને એક અલગ એક્સપીરિયન્સ આપવા માંગો છો, તો તમે રણથંભોર નેશનલ પાર્કમાં ટાઈગર સફારી કરો. રણથંભોર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ બંગાળના વાઘ છે. ટાઈગર સફારી કરતી વખતે તમે તેમને તેમના કુદરતી રહેઠાણમાં જોઈ શકો છો. આ ઉપરાંત બાળકો અહીં વાંદરા, હરણ, મોર, મગર અને વિવિધ પ્રકારના પક્ષીઓને પણ જોઈ શકે છે. સાથે જ રસ્તામાં તમે પ્રખ્યાત રણથંભોર કિલ્લાની મુલાકાત લઈ શકો છો, જેને 10મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

કેવલાદેવ નેશનલ પાર્કમાં બર્ડ વોચિંગ
કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાનનું પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે. તે ભરતપુરમાં આવેલું છે. આ નેશનલ પાર્ક વિવિધ પ્રજાતિઓનું પક્ષીઓનું ઘર છે. આ નેશનલ પાર્કમાં બાળકો પક્ષીઓની લગભગ 230 પ્રજાતિના જોઈ શકે છે. આ રીતે એક જ જગ્યાએ આટલા બધા પક્ષીઓનો પોતાનો અનોખો જ આનંદ હોય છે. જણાવી દઈએ કે આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. તેથી અહીં આવવાનું મહત્વ વધુ વધી જાય છે.

પિચોલા તળાવમાં બોટિંગ
પિચોલા તળાવ ઉદયપુરમાં આવેલું છે. તે ઈ.સ. 1362માં બનાવેલું એક કૃત્રિમ મીઠા પાણીનું સરોવર છે. બાળકોની સાથે આ તળાવમાં બોટિંગ કરવાનું પોતાનું એક અલગ જ મહત્વ છે. તળાવમાં બોટિંગ કરતી વખતે તમે ઉદયપુર શહેરની સુંદરતાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તેઓ તળાવના કિનારે રમી શકે છે અને તેમના મનપસંદ નાસ્તાનો આનંદ માણી શકે છે.

કઠપૂતળીનો ખેલ
જો તમે બાળકોની સાથે રાજસ્થાન જાવ અને કઠપૂતળીનો ખેલ ન જુઓ, આવું તો બની જ ન શકે. તેને લાકડામાંથી બનાવવામાં આવે છે અને પેઈન્ટ અને કપડાંથી શણગારવામાં આવે છે. કઠપૂતળીનો ખેલ રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. કઠપૂતળી દ્વારા રાજસ્થાનની લોકવાર્તાઓને રજૂ કરવામાં આવે છે. અહીં તમે માત્ર કઠપૂતળીઓ જ જોઈ શકતા નથી, પણ તેમને ખરીદી પણ શકો છો. બાળકોને કઠપૂતળીઓ જોવામાં ચોક્કસ આનંદ થશે.

આમેર કિલ્લામાં કરો હાથીની સવારી
આમેરનો કિલ્લો જયપુરમાં છે અને તેનું પોતાનું એક અલગ ઐતિહાસિક મહત્વ છે. જ્યારે તમે બાળકોની સાથે રાજસ્થાનમાં જાવ, તો તમારે અહીં ચોક્કસ જવું જોઈએ. જણાવી દઈએ કે, આ કિલ્લાનું નિર્માણ 16મી સદીમાં કરાવામાં આવ્યું હતું. આ કિલ્લાના ઓરડાઓ ખૂબ જ સુંદર અને અનોખા છે. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ શીશ મહેલ છે. તમારા બાળકો કિલ્લાની નીચેથી આંગણા સુધી હાથીની સવારીનો આનંદ પણ લઈ શકે છે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...