મગફળીના બીજને ગરીબોનું બદામ કહેવામાં આવે છે. મગફળીમાં વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી શકે છે. મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન B હોય છે. મગફળીના સેવનથી અન્ય કેટલીક બીમારીઓથી પણ છુટકારો મળે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા મગફળીનું સેવન કરવું જો મગફળીનું સેવન કરવામાં આવે તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
કારણકે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તમે વજન ઘટાડવા માટે પણ મગફળીનું સેવન કરી શકો છો. મગફળીમાં હાજર ફાયબર શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
ફેફસાના કેન્સરને દૂર કરે છે
મગફળીમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ફેફસાના કેન્સરને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો નિયમિત રીતે મગફળીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી છુટકારો મળે છે. મગફળીમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન કુપોષણને દૂર કરવાનું કામ કરે છે.
દરરોજ આ રીતે મગફળીનું સેવન કરવું જોઈએ
તમારે દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરવું જોઈએ. તમે મગફળીને પલાળીને ખાય શકો છો અને તમે તેને કાચી પણ ખાય શકો છો. મગફળીના બીજની ચીકી બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે. તમે મગફળીના બીજને નમકીન બનાવીને પણ ખાય શકો છો. કેટલાક લોકો પીનટ બટરનું પણ સેવન કરે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)