સનાતન ધર્મમાં હનુમાનજીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર ખાસ કરીને ભગવાન હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. એવું માનવામા આવે છે કે આ દિવસે સાચી ભક્તિ સાથે સંકટ મોચનની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ અને પડકારો દૂર થઈ શકે છે. કહેવાય છે કે, મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે. પાઠ શરુ કરતા પહેલા, પવિત્ર સ્થિતિમાં બેસો. પાઠ માટે લાલ રંગનું આસન પસંદ કરો. મંગળવાર અથવા શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો અને આ ઉપાય સતત 40 દિવસ સુધી ચાલુ રાખો.
આ સિવાય દર શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને અસહાય લોકોની મદદ કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સંપૂર્ણ આશીર્વાદ આપે છે.
- મંગળવારે ભગવાન હનુમાનની મૂર્તિ પર ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું જોઈએ.
- આ દિવસે તામસિક ભોજન અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
- આ દિવસે ભગવાન રામના નામનો જાપ કરો, આમ કરવાથી તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
- હનુમાનજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
- સંકટમોચનને લાડુનો ખૂબ શોખ છે, તેથી તેમને લાડુ અર્પણ કરવાની ખાતરી કરો.
- હનુમાનજીની આરતી સાથે પૂજાનું સમાપન કરો.
- અંતમાં હનુમાનજીના આશીર્વાદ માટે પ્રાર્થના કરો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)