Homeરસોઈકાળીચૌદશે આ રીતે ભૂલ્યા...

કાળીચૌદશે આ રીતે ભૂલ્યા વિના બનાવી લો દહીંવડા, દાઢમાં રહી જશે સ્વાદ

  • ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી દહીંવડા
  • નાના મોટા સૌને પ્રિય છે આ ડિશ
  • ખાસ પકવાન વિના અધૂરો છે કાળી ચૌદશનો તહેવાર

આવતીકાલે દેશભરમાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને ઘરમાંથી કકળાટ કાઢવાની પરંપરા હોય છે. આ દિવસે અડદની દાળના વડા બનાવાય છે અને પછી તેમાંથી સૌને પ્રિય એવા દહીંવડા બનાવવામાં આવે છે. ભારતના કોઈ પણ તહેવાર પકવાન વિના અધૂરા રહે છે.

દહીંવડા આવી જ એક વાનગીમાંથી એક છે જે મોટાભાગે દરેક ઘરે બનાવાય છે. જો તમને પણ આ વાનગી ખૂબ પસંદ છે તો તમે તેને ઘરે ટ્રાય કરી લો તે જરૂરી છે. તો જાણો વડા અને દહીં માટેની ખાસ અને સિમ્પલ રેસિપિ.

દહીંવડા

સામગ્રી

વડા માટે

  • 4 કપ અડદની દાળ
  • 2 કપ મગની દાળ
  • 2 ચપટી હિંગ
  • 2 ટી સ્પૂન અધકચરું વાટેલું જીરુ
  • 2 કપ દહીં
  • 1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે

દહીં માટે

  • 2 કિલો દહીં
  • 400 ગ્રામ ખાંડ
  • 1 કપ ખજૂર-આમલીની મીઠી ચટણી
  • 4 ટેબલ સ્પૂન દાડમના દાણા
  • 2 ટેબલ સ્પૂન જીરુ, સંચળ, મરીનો મિક્સ પાવડર
  • 2 ટેબલ સ્પૂન લાલ મરચું

રીત

બન્ને દાળને ધોઈને અલગ અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરુ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

ટિપ્સ- દહીંવડાને જ્યારે પાણીમાં પલાળો તો તેમાં થોડી છાશ અને ચપટી ખાંડ પણ ઉમેરો. તેનાથી દહીંવડા વધારે સોફ્ટ અને ટેસ્ટી બનશે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...