Homeક્રિકેટકોહલી અને ડીકૉકને ક્યાંય...

કોહલી અને ડીકૉકને ક્યાંય પાછળ કરીને આગળ નીકળ્યો રવીન્દ્ર, રોહિત શર્મા પછડાયો, હવે સચિનનો મહારેકૉર્ડ ખતરામાં

વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે
ટીમને અહિયાં સુધી પંહોચાડવામાં રચિન રવિન્દ્રની ભૂમિકા મહત્વની
રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો ‘મહાન રેકોર્ડ’ તોડવા તરફ આગળ વધ્યો
શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે. શ્રીલંકા સામેની જીતની સાથે 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટે ચોથા નંબરે આવી ગયું છે.

મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 23.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલની ઉંબરે પહોંચાડવામાં ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. તે વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રચિને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો.

એવામાં હવે રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો ‘મહાન રેકોર્ડ’ તોડવા તરફ આગળ વધી રહ્યો છે.

એ વાત તો નોંધનીય જ છે કે 23 વર્ષના ડાબા હાથના બેટ્સમેન રચિન રવિન્દ્રએ આ વર્લ્ડ કપની 9 ઇનિંગ્સમાં 3 સદી અને 2 અડધી સદીની મદદથી સૌથી વધુ 565 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રવિન્દ્રએ ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો. ડી કોકે 8 ઇનિંગ્સમાં 4 સદીની મદદથી 550 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલી 8 ઇનિંગ્સમાં 543 રન સાથે બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 446 રન સાથે ચોથા સ્થાને છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 442 રન સાથે પાંચમા સ્થાને છે.

સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા
રચિન રવિન્દ્ર હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવા પર છે. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન બીજા સ્થાને છે. હેડનના નામે 11 મેચમાં 659 રન છે, જ્યારે રોહિત શર્મા 648 રન સાથે ત્રીજા સ્થાન પર છે. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. રચીનના પ્રદર્શનને જોઇને લાગી રહ્યું છે કે આ વર્લ્ડ કપમાં તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...