Homeકૃષિખેડૂતોને રવિ પાકના બિયારણ...

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં આવશે. આ વર્ષે રવિ સિઝનમાં પાકના સારા ઉત્પાદન માટે બિહાર સરકાર ખેડૂતોને બિયારણની ખરીદી પર સબસિડી આપી રહી છે.

સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ

બિહાર સરકારના કૃષિ વિભાગે X પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, રવી સિઝન 2023-24 માટે સબસિડી સાથેના જુદા-જુદા પાકોના બીજની ઉપલબ્ધતા બાબતે મહત્વપૂર્ણ માહિતી.

તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે, કૃષિ વિભાગ દ્વારા રવિ સિઝન 2023-24 માટે જુદી-જુદી યોજનાઓમાં સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.

પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી

મુખ્યમંત્રી બીજ વિસ્તરણ યોજના હેઠળ, ઘઉંના બિયારણના ભાવ એક કિલોના 43 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેના પર પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી આપવામાં આવશે. બિયારણ ખેડૂતોને અડધા એકર વિસ્તાર માટે આપવામાં આવશે. આ ઉપરાંત બીજ વિતરણ કાર્યક્રમ હેઠળ, ઘઉંના બીજનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો છે. તેના પર 19.50 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે

આ યોજનામાં વધારેમાં વધારે 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે. ઘઉં જે 10 વર્ષથી વધુ સમયગાળાની જાતો છે તેવા બીજને 42 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાણ કરવામાં આવશે. તેમાં એક કિલોએ 15 રૂપિયા સબસિડી આપવામાં આવશે. મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે.

આવી રીતે કરો અરજી

આ યોજના હેઠળ જે ખેડૂતો બિયારણ ખરીદવા માંગે છે તેઓએ https://dbtagricultue.bihar.gov.in પોર્ટલ પર જુદા-જુદા રવિ પાકના બિયારણ માટે અરજી કરી શકે છે. ખેડૂતો તેમના મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, કોમન સર્વિસ સેન્ટર અથવા સાયબર કાફે દ્વારા અરજી કરી શકે છે.

પોર્ટલ પર અરજી કર્યા બાદ કૃષિ સંયોજક, બ્લોક એગ્રીકલ્ચર ઓફિસર અને જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. અરજી મંજૂર થયા બાદ ખેડૂતના મોબાઈલ પર એક OTP આવશે. કૃષિ સંયોજક દ્વારા ખેડૂતને બિયારણના સ્થળ અંગેની માહિતી આપવામાં આવશે. ખેડૂતો જે કેન્દ્ર પરથી બિયારણની ખરીદી કરે તેને OTP આપવાનો રહેશે. અહીં સબસિડીની રકમ બાદ કરીને બાકીની રકમની ચૂકવણી કરવાની રહેશે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...