Homeકૃષિગુજરાતના 5 જિલ્લામાં પડ્યો...

ગુજરાતના 5 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી,24 કલાક ભારે

ગુજરાતમાં થી ચોમાસાએ હજુ થોડા દિવસો પહેલાં જ વિદાય લીધી છે અને ખેડુતો તેમના પાક લેવામાં વ્યસ્ત છે એવા સમયે 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડુતોની ચિંતા વધી છે. હજુ તો 24 કલાક ભારી હોવાની આગાહી છે. જો કમોસમી વરસાદ વધારે પડશે તો ખેડુતોના પાકને ભારે નુકશાન થશે.

ગુજરાતનું વાતાવરણ દિવાળીના તહેવાર પહેલા બદલાયું છે અને દ્રારકા, જૂનાગઢ, સાપુતારા, ગીર સોમનાથ અને અમરેલી એમ રાજ્યાના 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.માવઠાને કારણે ખેડુતોના મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકશાન થવાની વકી છે.

ગીર સોમનાથમાં તો કરા સાથે વરસદા પડવાને કારણે ખેડુતોને શિયાળુ પાકમાં નુકશાન થવાની ચિંતા છે.

ગુજરાતમાં અત્યારે લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. દિવસમાં ગરમી પડી રહી છે અને વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે તો બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચિંતા વધારનારી વાત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્રારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, વલસાડ અને ડાંગમાં 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 14 થી 16 નવેમ્બર દરમિયાન એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી હવાનું હળવું દબાણ ઉભું થશે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાતની પણ સંભાવના છે. જેને કારણે ગુજરાતના હવામાન પર તેની અસર જોવા મળશે. દિવાળી પછી અરબ સાગરનો ભેજ અને અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાના ચાલું રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં જબરદસ્ત ઠંડી પડશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં દિવસનું જે તાપમાન છે તેમાં વધારે ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. રાતનું તાપમાન પણ એટલું જ રહેશે. આગામી 7 દિવસમાં ભારે ઠંડીની શક્યતા દેખાતી નથી.

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડુતો પરેશાની અનુભવી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનામાં પણ ચોમાસાની સિઝન પહેલાં કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી હતી

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...