- ઘઉં અને ગોળ બાંધી જરૂરિયાતમંદને દાન કરો
- તાંબાનો સિક્કો પાણીમાં વહેતો મૂકો
- 108 સૂર્ય મંત્રનો જાપ કરો
શાસ્ત્રો પ્રમાણે જ્યારે સૂર્ય એક રાશિથી નીકળીને અન્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે સૂર્ય મકર રાશિમાં રાત્રે 2: 43 વાગ્યે પ્રવેશ કરશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાતિનું પર્વ 14 ની જગ્યાએ 15 જાન્યુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે.
મકરસંક્રાતિનાં દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાનનું ખુબજ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાતિનાં દિવસે સૂર્યદેવની પૂજા-અર્ચનાનું મહત્વ છે. જાણો આ દિવસે ક્યા વિશેષ ઉપાય કરવા જોઈએ.
જળ અર્પણ
મકરસંક્રાતિનાં દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી, તાંબાનાં લોટામાં કુમકુમ અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ એક આસન પર બેસી ગાયત્રી મંત્ર અથવા સૂર્યમંત્રનો જાપ કરવો જોઈએ.
દાન
તમારા સુખ અને સૌભાગ્યને વધારવા માટે મકરસંક્રાંતિના દિવસે પરિણીત મહિલાઓને ચૌદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ચોખા અને ગોળ
વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે ચોખા અને ગોળને પાણીમાં વહેતા મૂકો.
ઘઉં અને ગોળ
મકરસંક્રાતિનાં દિવસે તાંબાનો સિક્કો પાણીમાં વહેતો મૂકો. લાલ કપડાંની અંદર ઘઉં અને ગોળ બાંધી જરૂરિયાતમંદને દાન કરો.
પૂર્વ દિશા
મકરસંક્રાતિનાં દિવસે પૂર્વ દિશામાં એક સફેદ કપડું પાથરી, તેના પર સૂર્યદેવની મૂર્તિ અથવા ફોટો રાખો. તેની સામે બેસી સૂર્યદેવની પૂજા કરો. સૂર્યદેવને ગોળનો ભોગ લગાવો. આ સાથે 108 સૂર્ય મંત્રનો જાપ કરો.
વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી
તમારા પરિવારને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચાડે તેની ખાતરી કરવા માટે, મકરસંક્રાંતિ વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે, પાંચ કોડીઓ લઈને ઘરના મુખ્ય સદસ્યનાં માથા પર સાત વાર ફેરવો. તેમને ભગવાન ગણેશના ચરણ સ્પર્શ કરાવો. આ પછી આ કોડીઓને પાણીમાં વહેતી મુકો.
ગોમતી ચક્ર
જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો મકરસંક્રાંતિના દિવસે ગોમતી ચક્ર લઈને સાંજે ક્યાંક નિર્જન જગ્યાએ જઈને એક નાનો ખાડો ખોદી તેમાં ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરી ગોમતી ચક્રને દબાવી દો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)