દોસ્તો આપણા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સ્થિત ભાગુડા મોગલ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર સાથે વિવિધ પ્રકારની ચમત્કાર અને કથાઓ જોડાઈ છે, જેનાથી દર વર્ષે હજારો ભક્તો મંદિરમાં આવીને મોગલ માતાના આશીર્વાદ લેતા હોય છે. એક માન્યતા પ્રમાણે આ ગામની અંદર હાજરા હજુર માતા મોગલ આવેલા છે, જે ભક્તોના બધા જ પ્રકારના દુઃખો દૂર કરે છે.
આ મંદિરમાં કોઈપણ પ્રકારની જ્ઞાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિને દર્શન કરવા માટે બોલાવવામાં આવતા હોય છે અને તેઓ તમારી મનોકામનાઓ પણ પૂરી કરે છે. આ મંદિરમાં સ્થિત મોગલ માતાના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વીખરાયેલા કેશપાક, ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલચંદ્ર અને ભક્તો માટે પ્રેમ અને દોસ્તો માટે અગ્નિ દ્વારા વરસાવતા માતાજીના નયનો. દરેકને પ્રભાવિત કરે છે.
અહીં આવેલ મોગલ માતાની સ્તુતિ દરેક વ્યક્તિ કરતો હોય છે. અહીં મંદિરની અંદર મોગલ માતાની લાપસી નો પ્રસાદ અર્પણ કરવામાં આવતો હોય છે.
કારણ કે મોગલ માતાને લાપસી ખૂબ જ પસંદ આવતી હોય છે. એક માન્યતા પ્રમાણે લાપસી નો પ્રસાદ માતાજીને અર્પણ કરવાથી ભક્તોની ઘણી માનોકનાઓ પૂરી થતી હોય છે અને ભક્તો અહીં આવીને માતાજીને શણગાર પણ અર્પણ કરતા હોય છે.
જ્યારે તેમની મનોકામનાઓ પૂરી થાય છે ત્યારે માતાજીને લાપસી અને શણગાર અર્પણ કરતા હોય છે. વળી આ ગામની અંદર ક્યારે ચોરીની ઘટના થઈ નથી અને તેની પાછળ માતા મોગલ નો પ્રતાપ જ જવાબદાર માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે લોકોની અહીં સૌથી વધારે ભીડ હૌય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)