આપણા ડાયેટમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે તેલ, જે આપણે મોટાભાગે આપણા ખાન-પાનમાં ઉપયોગમાં લઇએ છીએ. તેથી જ હેલ્થ એક્સપર્ટ અથવા ન્યૂટ્રિશનિસ્ટ હંમેશા સારુ તેલ યુઝ કરવાનું કહે છે.

Coconut oil vs Olive oil: આજે આપણે વાત કરીશું નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલ બંનેમાંથી હેલ્થ માટે કયુ તેલ બેસ્ટ છે. ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે કયુ કુકિંગ ઓઇલ આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે. કયા તેલમાં કેલરીની માત્રા કેટલી હોય છે? આજે અમે તમારા તમામ ભ્રમ દૂર કરી દઇશું. આજે અમે તમે જણાવીશું કે ડેઇલી રૂટિનમાં ઓલિવ ઓઇલ કે નારિયેળનું તેલ ઉપયોગમાં લેવું જોઇએ કે નહીં.

કયુ તેલ સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક: ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, ઓલિવ ઓઇલ અને નારિયેળનું તેલ બંને પોતાની જગ્યાએ હેલ્ધી છે. તેનો અર્થ એ નથી કે તમે તેને વધુ માત્રામાં ઉપયોગમાં લો.

ઓલિવ ઓઇલમાં મોનોઅનસેચુરેટેડ ફેટ ઘણી વધારે માત્રામાં હોય છે. જ્યારે નારિયેળના તેલમાં સેચુરેટેડ ફેટ વધુ હોય છે. તેથી બંમેમાંથી કોઇપણ તેલનો વધુ ઉપયોગ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે.

કુકિંગ ઓઇલમાં આ તેલનો ઉપયોગ કરવાથી હાર્ટને લગતી બીમારીનો ખતરો ઓછો: વજન વધવા અને હાર્ટની બીમારીથી બચવા માટે વધુમાં વધુ ઓલિવ ઓઇલને ડાયેટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેચુરેટેડ અને ટ્રાન્સ ફેટના મોનોસેચુરેટેડ અને પોલીઅનસેચુરેટેડથી ભરપૂર કુકિંગ ઓઇલ ખાય છે તેમને હાર્ટની બીમારી, હાર્ટ એટેકનું જોખમ ઓછુ રહે છે.

ચાલો બંને તેલમાં પોષક ગુણ કેટલા છે તે જાણીએ. એક ચમચી વર્જિન નારિયેળ તેલમાં 120 કેલરી અને 14 ગ્રામ ફેટ સામેલ હોય છે. આ ઉપરાંત તેમાં સેચુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ 13 ગ્રામ, મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ 1 ગ્રામ, પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ 0 ગ્રામ, અને કોલેસ્ટ્રેલ 0 હોય છે.

એક ચમચી એક્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલમાં 120 કેલરી, 14 ગ્રામ ફેટ, 2 ગ્રામ સેચુરેટેડ ફેટી એસિડ, 10 ગ્રામ મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડ, 1.5 ગ્રામ પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડ અને 0 કોલેસ્ટ્રોલ હોય છે.

નારિયેળ તેલની સરખામણીમાં ઓલિવ ઓઇલ હેલ્થ માટે વધુ ફાયદાકારક છે. ઓલિવ ઓઇલને ડાયેલમાં સામેલ કરવું હેલ્થ માટે સારુ છે. તેનાથી હાર્ટને લગતી બીમારી, કેન્સર, ડાયાબિટીસનું જોખમ ઓછુ રહે છે. તે સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. વજન ઓછુ કરવા માટે પણ આ તેલ સારુ છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)