કહેવાય છે કે, માત્ર ભગવાન ગણેશના નામનો જાપ કરવાથી ભક્તોની મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે. બીજી તરફ જો બુધવાર ના દિવસે ગણેશજી ની પૂજાની સાથે કેટલાક નાના-નાના ઉપાયો પણ અપનાવવામાં આવે તો કરિયર અને બિઝનેસમાં જબરદસ્ત સફળતા મળે છે.
હિંદુ ધર્મમાં ગણેશજી ને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજી ની પૂજાથી કરવામાં આવે તો વ્યક્તિના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. આવી સ્થિતિમાં, જો તમારા જીવનની સમસ્યાઓ તમારો પીછો નથી છોડી રહી, અથવા તમે તમારા કરિયર અથવા વ્યવસાયને લઈને ચિંતિત છો, તો બુધવારે આ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાનું નસીબ ચમકાવી શકે છે. તેમજ વ્યક્તિને કામમાં આવતા અવરોધોથી પણ મુક્તિ મળે છે.
બુધવારે આ ઉપાય કરો
શાસ્ત્રો અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશજી ને સમર્પિત છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાની સાથે જો દુર્વા પણ ચઢાવવામાં આવે તો ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે. અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ગણેશજી ના મંદિરમાં જઈને તેમને ગોળ અર્પણ કરો, આ ઉપાય સતત ૭ બુધવાર સુધી કરવાથી ભક્તોના કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. અને મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જો વ્યક્તિને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય. જો બિઝનેસ કે કરિયરમાં પ્રગતિનો માર્ગ ખૂલી રહ્યો નથી તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બાપ્પાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે બુધવારના દિવસે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિશેષ લાભ મળે છે, પરંતુ તેને ધારણ કરતા પહેલા કોઈ સારા જ્યોતિષની સલાહ જરૂર લો.
ગણેશજીને લાડુ ખૂબ જ પસંદ છે. પરંતુ જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તેમાં સફળતા મેળવવા માંગો છો, તો બુધવારે ગણેશજીને મગની દાળના લાડુ ધરાવો. આ ઉપાય કરવાથી તમે સૌથી મુશ્કેલ પરીક્ષા પણ પળવારમાં પાસ કરી શકશો.
બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી નોકરી અને ધંધામાં આવતા અવરોધો દૂર થાય છે. જો ગાયને ઘાસ ખવડાવવું શક્ય ન હોય તો તમે ગૌશાળામાં જઈને ઘાસનું દાન કરી શકો છો. તેનાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.