fbpx
Tuesday, May 30, 2023

પીપલ ઉપાય: શનિની દશા નિવારણ માટે સાંભળો આ ફરિયાદો, પ્રશ્નોના સમયમાંથી મુક્તિ

ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ થાય છે. પીપળા વૃક્ષમાં બ્રહ્માજી, ઉપરના ભાગમાં મહાદેવ અને તનમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. સાથે જ શનિદેવનો પણ વાસ થાય છે. બ્રહ્મ પુરાણ અનુસાર,, જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરે છે. એમના તમામ કષ્ટ દુર થાય છે. સાથે જ ગ્રહોના કારણે મળવા વાળી મુશ્કેલીઓમાંથી નિજાત મળે છે. આઓ જાણીએ પીપળાના ઝાડ સાથે જોડાયેલ સરળ જ્યોતિષ ઉપાય.

લગ્ન માટે

શનિવારે એક ગ્લાસમાં દૂધ અને થોડા તલ નાખીને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. તેમજ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ નો જાપ કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે.

શનિ દશા નિવારણ

શનિવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડને જળ ચઢાવો. તેમજ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 5 વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે.

ઈચ્છા પૂર્તિ માટે

શનિવારે પીપળના ઝાડને પાણીમાં થોડો ગોળ અને દૂધ મિક્સ કરીને અર્પિત કરો. તમારી ઈચ્છા પણ કહો. પછી ઝાડને સ્પર્શ કરી પરિક્રમા કરો.

દુઃખ માટે ઉપાય

શનિવારે પીપળના ઝાડને બંને હાથે સ્પર્શ કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર થાય છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ