Akhand Samrajya Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો સમય સમય પર પોતાની સ્થિતિમાં ફેરફાર કરતા રહેતા હોય છે અને આ જ કારણસર આ બદલાવની અલગ અલગ રાશિ પર અલગ અલગ અસરો જોવા મળતી હોય છે. જ્યાં ગ્રહો બદલાય છે ત્યાં અસરો પણ બદલી જતી હોય છે. ગ્રહોના પરિવર્તનની અસર દેશ અને દુનિયામાં પણ જોવા મળતા હોય છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે, ત્યારે તે ઘણા શુભ-અશુભ સંકેતો લઈને આવતો હોય છે. તે ચોક્કસપણે તમામ રાશિના જોતકો પર સારી કે નરસી એમ કોઈને કોઈ અસર કરે છે. પરંતુ, અખંડ સામ્રાજ્ય રાજયોગમાં ત્રણ રાશિના જાતકોને વધારે લાભ થવાનો છે. આજે અમે એ ત્રણ રાશિ વિશે વિસ્તારથી વાત કરીશું.
મકર
9 માર્ચ ઉદય થયા બાદ શનિ અખંડ સામ્રાજય યોગ બનાવી રહ્યો છે. જેની અસર મકર રાશિના લોકો પર વધુ જોવા મળશે. મકર રાશિમાં ધનના ઘરમાં શનિદેવનો ઉદય થવાનો છે. જેનાથી ધન અને વાણીનુ માન વધે છે. શક્ય છે કે હવે તમારા અટવાયેલા પૈસા પણ પરત મળી જાય. આ સમયે તમારી વાણીનો પણ પ્રભાવ જોવા મળશે. કાર્યસ્થળે માન-સન્માન વધશે અને વહીવટી ક્ષમતાઓ પણ વધશે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઇન અને માર્કેટિંગમાં છે, તેમના માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
ધન
ધન રાશિના જાતકોની કુંડળીમાં ત્રીજા ભાવમાં શનિનો ઉદય થવાનો છે. જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. માનવામાં આવે છે કે આ સમયે શનિદેવ બળવાન હોય છે. એટલા માટે જાતકને પણ સારો સાથ મળે છે, ઉપરાંત તેની શક્તિમાં પણ વધારો થતો હોય છે. આ સાથે જ ગોચર દરમિયાન જ જાતકની આવકના સ્ત્રોતો પણ વધશે. પ્રોપર્ટીમાં રોકાયેલા પૈસા પણ તેમને લાભ અપાવશે. આ રોકાણ તમને લાંબાગાળે સકારાત્મક પરિણામો આપશે.
મિથુન
શનિદેવ રાશિના નવમા ભાગમાં ઉદય થયા હોવાના કારણે અખંડ સામ્રાજય રાજયોગ મિથુન રાશિ માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે. આથી જ આ રાશિના જાતકોના ભાગ ખૂલશે, જે કામ અટકેલા છે તે પૂર્ણ થશે, જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. આ સમય દરમિયાન તમે વ્યવસાયના સંબંધમાં પણ મુસાફરી કરી શકો છો. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.