Bad Sign of palm: હસ્તરેખાશાસ્ત્રને હસ્ત સમુદ્ર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેને વૈદિક જ્યોતિષશાસ્ત્રનો એક સહજ હિસ્સો માનવામાં આવે છે. જો હસ્તરેખાશાસ્ત્રનું વૈદિક દૃષ્ટિકોણથી અધ્યયન કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જીવનનું વધુ સારી રીતે આત્મનિરીક્ષણ કરી શકે છે. હાથને એક નિર્ધારકનો દરજ્જો આપવામાં આવે છે, જે આપણને આપણું જીવન બનાવવામાં મદદ કરે છે.
એવું પણ માનવામાં આવે છે કે હથેળીના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ગ્રહો સ્થિત હોય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીમાં શુભ અને અશુભ યોગ જોવા મળે છે. હથેળીમાં અશુભ યોગ હોય તો વ્યક્તિએ સમયસર કેટલાક ઉપાય કરવા જોઈએ. ચાલો જાણીએ હથેળીમાં બનેલા કેટલાક એવા અશુભ સંકેતો વિશે, જે જીવનને મુશ્કેલ બનાવે છે.
વિવાહ રેખા ઉપર-નીચે રહેવાથી દાંપત્ય જીવનમાં તેની અસર જોવા મળે છે. આ રેખા હાથની સૌથી નાની આંગળીની નીચે છે અને હથેળીના બહારના ભાગમાંથી અંદરની તરફ આવતી જોવા મળે છે.
- જો કોઈ જાતકના હાથમાં એકથી વધુ વિવાહ રેખા હોય તો તેને એકથી વધુ પ્રેમ સંબંધ હોય છે.
- જો વિવાહ રેખા લાંબી હોય તો વ્યક્તિના લગ્નેતર સંબંધો રહે છે.
-
- જો કોઈ જાતકની વિવાહ રેખા પર તલ હોય તો તેના જીવનસાથીની મૃત્યુનો ખતરો હોય છે.
- જો વિવાહ રેખાની શરૂઆતમાં દ્વીપનું નિશાન હોય તો તે જાતકનું લગ્નજીવન સુખી નથી હોતું, તે જાતકના જીવનસાથીના લગ્નેત્તર સંબંધો હોય છે.જો કોઈ વ્યક્તિની વિવાહ રેખાની શરૂઆત બે ભાગમાં વહેંચાયેલી હોય તો સંબંધમાં છૂટાછેડા કે અંતર આવવાની શક્યતા રહે છે.
- જો વિવાહ રેખા નીચેની તરફ ઝુકેલી હોય અને હૃદય રેખાને કાપતી હોય તો તેના જીવનસાથીનું મૃત્યુ થઈ શકે છે.
- જો વિવાહ રેખા ઉપરની તરફ વળે છે અને નાની આંગળી સુધી પહોંચે છે, તો આવા લોકો માટે લગ્ન કરવા ખૂબ મુશ્કેલ છે.