Tuesday, October 3, 2023

રાજકોટ: વિદ્યાર્થિનીને શાળામાં જ આવ્યો હાર્ટ એટેક, સરકારે માંગ્યો અહેવાલ

રાજકોટ: શહેરમાં એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે શાળામાં જ મોત નીપજ્યું હતુ. આ મામલે સરકાર એક્શનમાં આવી ગઇ છે. પરિવારના આક્ષેપ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થિનીના મોતનો અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકાર પણ પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહી છે જે બાદ જરૂરી કડક પગલાં લેવામાં આવશે. આ ઘટના બાદ જસાણી શાળાએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે. શાળાનો સમય 7:30 ના બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, એટેકના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. જોકે, ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

શાળામાં જ બેભાન થઇ હતી દીકરી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની એ.વી. જસાણી શાળામાં મંગળવારે સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ આઠની 17 વર્ષની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ હતા. જે બાદ તેને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જે બાદ માલવીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તો બીજી બાજુ દીકરીનાં પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં વ્હાલસોયી દીકરીનો મૃતદેહ જોઇને પરિવારનાં પગ નીચેથી જમીન જતી રહી હોય તેવા હાલત થયા હતા.

મૃતક દીકરીની ફાઇલ તસવીર

બંને બહેનો સાથે શાળામાં આવી હતી

આ અંગે પરિવારજનોએ શાળા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, દીકરીની ઠંડીને કારણે તબિયત બગડી હતી. આ શાળામાં સ્કૂલનાં સ્વેટર વગર બીજું કોઇ પહેરી શકાતું ન હતું. જેથી વધારે ઠંડી લાગતી હોય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, પુત્રી રીયા બે બહેનમાં મોટી છે નાની બહેનનું નામ નિરાલી છે. પિતા સોની કામ કરે છે. બંને બહેન ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે સાતેક વાગે બંને બહેનો વાનમાં સ્કૂલે ગઇ હતી. બાદમાં સ્કૂલે પહોંચી પ્રાર્થના બાદ સ્કૂલના ક્લાસરૂમમાં લેક્ચર ચાલુ હતો ત્યારે જ રીયા અચાનક ઢળી પડી હતી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જતાં મોત થયું હતું. આ અંગે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું અને મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ