વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ અને દુકાનની સજાવટ સાથે ઉર્જા પ્રવાહની અસરનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે. આ જ કારણ છે કે ઘણા લોકો શાંતિ માટે પોતાના ઘરમાં ભગવાન બુદ્ધનો ફોટો અથવા પ્રતિમા ધ્યાનની મુદ્રામાં લગાવે છે. વાસ્તુ નિષ્ણાંત ચૈતન્ય માલતારેના જણાવ્યા અનુસાર, જો તમે ભગવાન બુદ્ધની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરો છો, તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
એટલા માટે આપણે ઘરમાં બુદ્ધની પ્રતિમા રાખીએ છીએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન બુદ્ધની મૂર્તિને ઘરમાં રાખવાથી ઘરની સુંદરતા વધે છે, તો બીજી તરફ પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની સાથે શાંતિ પણ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ નથી થતો. તમામ અવરોધો દૂર થાય છે.
મુખ્ય પ્રવેશદ્વાર પાસે બુદ્ધની પ્રતિમા મૂકો
ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રામાંની પ્રતિમા અથવા ફોટો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં પ્રવેશતાની સાથે જ સકારાત્મક અનુભૂતિ થાય છે. મનને શાંતિ મળે છે.
મૂર્તિને જમીન પર ન રાખવી
ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં ઉચ્ચ સ્થાન પર રાખવી જોઈએ. વાસ્તુ નિષ્ણાંત ચૈતન્ય માલતારેના મતે ભગવાન બુદ્ધની મૂર્તિને જમીન પર રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. બુદ્ધની મૂર્તિ ફ્લોરથી 3-4 ફૂટ ઉપર રાખવી જોઈએ.
ઘરની પશ્ચિમ દિશામાં રાખો
ભગવાન બુદ્ધની પ્રતિમા ઘરની પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ઘરના મંદિરમાં બુદ્ધની મૂર્તિ પૂર્વ તરફ મુખ કરીને રાખવી જોઈએ. જો તમે ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળકોના સ્ટડી રૂમમાં રાખી રહ્યા છો તો તેનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. આમ કરવાથી બાળકોની માનસિક એકાગ્રતા વધે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)