30 નવેમ્બરના રોજ સુખ સંપદાનો કારક શુક્ર ગ્રહ કન્યા રાશિમાંથી નીકળી પોતાની રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ રાત્રે 12 વાગ્યાને 5 મિનિટ પર થશે અને આ રાશિમાં 25 ડિસેમ્બર 2023 સુધી રહેશે. શુક્રનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે. વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે, જેનાથી મીન, મકર તેમજ કુંભ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ છે એના પર અસર કરશે.
તો ચાલો જાણીએ સાડાસાતીથી પીડિત રાશિઓ પર શું પ્રભાવ પાડશે.
મકર – મકર રાશિ માટે શુક્ર પાંચમા અને દસમા ઘરનો સ્વામી છે. શુક્ર તમારા કર્મ ગૃહમાં ગોચર કરશે. આ ગોચર કાર્યસ્થળ પર અને સામાજિક જીવનમાં તમારી છબી સુધારવા માટે કામ કરશે. તમે તમારા વ્યાવસાયિક જીવનમાં સર્જનાત્મકતા લાવશો. જે લોકો પોતાનું કરિયર શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. નોકરીયાત લોકોના જીવનમાં અચાનક સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તમે જમીન, મકાન કે વાહન પણ ખરીદી શકો છો.
કુંભ- કુંભ રાશિ માટે શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. તે તમારા ચોથા અને નવમા ઘરનો સ્વામી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. પિતા અને ગુરુ પણ તમારો સાથ આપશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેવાનું છે, જો કે આ સમયગાળા દરમિયાન તમે તમારા શોખ પૂરા કરવા માટે વધુ પૈસા ખર્ચ કરશો. ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો.
મીન- મીન રાશિ માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી છે. આ ગોચર આઠમા ઘરમાં થવાનું છે. આઠમા ઘરમાં શુક્રનું ગોચર શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, તમારા જીવનસાથી આ સમયગાળા દરમિયાન સહયોગ આપશે. તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળા દરમિયાન ભાઈ-બહેન સાથેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપશો. આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)